ભરૂચની કંપનીમાં બ્લાસ્ટ : આઠ લોકોનાં મૃત્યુ, 52ને ઈજા, 4800 લોકોનું સ્થળાંતર

ઇમેજ સ્રોત, Sajid patel
ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલા દહેજ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં બ્લાસ્ટ થયો છે.
આ બ્લાસ્ટ યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં થયો છે, જેમાં અનેક કામદારો ઈજાગ્રસ્ત થયા છે.
ભરૂચના ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી ઍન્ડ હેલ્થના એન. ડી. વાઘેલા જણાવે છે કે આ ઘટનામાં 8 કામદારોનાં મૃત્યુ થયાં છે.
તેમણે એવું પણ જણાવ્યું છે કે 52 ઈજાગ્રસ્તોની સારવાર હેઠળ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દહેજ જીઆઈડીસી ખાતે આવેલી આ એક કૅમિકલ કંપની છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે આસપાસની કંપનીઓના કાચ પણ તૂટી ગયા હતા.
બ્લાસ્ટ બાદ કંપનીમાં આગ લાગવાને લીધે ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા.
આ ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને કોઈ કામદારનું મૃત્યુ થયું છે કે કેમ, એ અંગે માહિતી મળી શકી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, ANI
ભરૂચ જિલ્લાના કલેક્ટર એમ. ડી. મોડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે બાર વાગ્યે સર્વન્ટ ટૅન્કમાં બ્લાસ્ટ થવાને લીધે આગ લાગી હતી.
તેઓ કહે છે, "આગને બુઝાવવા માટે 11 ફાયરઍંજિન અને લોકોને બચાવવા માટે ઍમ્બુલન્સ પણ કામે લગાડવામાં આવી હતી."
"આગને કાબૂમા લઈ લેવામાં આવી છે. આ ઘટનામાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે અને 57 લોકો ઈજાગ્રસ્ત થયા છે."
કલેક્ટરે જણાવ્યું કે "કંપનીના કૅમ્પસમાં મિથેનોલ અને ઝાઇનિલનો જથ્થો છે, જે ઝેરી અને જ્વલનશીલ હોવાથી લખીગામ અને લુહારા નામનાં ગામોમાંથી 4800 લોકોને ખસેડવામાં આવ્યા છે."
જિલ્લા કલેક્ટરે એવું પણ જણાવ્યું છે કે એસડીએમ અને પોલીસની હાજરીમાં ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












