મોદી બોલ્યા લોકોએ ફકીરની ઝોળી ભરી દીધી

મતગણતરીનાં વલણોને જોતાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી છે. કૉંગ્રેસનું ખરાબ પ્રદર્શન.

લાઇવ કવરેજ

  1. બદઇરાદા અને ખોટી નિયત સાથે કંઈ નહીં કરું : મોદી

    દેશવાસીઓ 2014માં તમે મને વધારે જાણતા ન હતા, પરંતુ મને જાણ્યા બાદ તમારા સમર્થનમાં વધારે તાકાત આવી છે. હું તેના પાછળની ભાવનાને સારી રીતે જાણું છું. જેવી રીતે અમિતભાઈ કહે છે કે ઘણાં વર્ષો બાદ એક ચૂંટાયેલી સરકાર બીજી વખત પૂર્ણ બહુમત અને પહેલાં કરતાં વધારે તાકાત સાથે જીતીને આવી તેનો મતલબ દેશની જનતાનો મોટો ભરોસો છે. ભરોસો જેવો વધે છે, જવાબદારી પણ વધે છે. એટલે દેશવાસીઓએ મને જે જવાબદારી આપી છે, તેમને મારું વચન, સંકલ્પ કે પ્રતિબદ્ધતા માનો, તમે મને ફરી જે કામ આપ્યું છે, આવનારા દિવસોમાં હું કોઈ બદઈરાદા કે ખોટી નિયત સાથે કોઈ કામ નહીં કરું. કામ કરતાં-કરતાં ભૂલ થઈ શકે છે પરંતુ ખોટી નિયત સાથે કોઈ કામ નહીં કરું.

  2. રાજકારણમાં મહિલાઓની ભૂમિકા અંગેે બીબીસી ગુજરાતીનો વિશેષ કાર્યક્રમ

    દિવ્યા આર્ય, ગુરમહેર કૌર, અદિતી રાવ, લીના શાહ, ઝકિયા સોમણ તથા તારા કૃષ્ણસ્વામી સાથે ભારતીય રાજકારણમાં મહિલાઓની ભાગીદારી કેટલી? તે અંગે વિશેષ ચર્ચા.

  3. સેક્યુલરિઝમની જમાતે બોલવાનું બંધ કરી દીધું - નરેન્દ્ર મોદી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "2014થી 2019 સુધીમાં સેક્યુલરિઝમની જમાતે બોલવાનું બંધ કરી દીધું."

    "આ ચૂંટણીમાં એક પણ રાજકીય પક્ષ સેક્યુલરિઝમનું મુખોટું પહેરીને નાગરિકોને ગુમરાહ નથી કરી શક્યો."

  4. જનતાનો વિજય થયો છે - નરેન્દ્ર મોદી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા કહ્યું આ વિજય લોકશાહીનો વિજય છે, જનતાનો વિજય છે અને હિંદુસ્તાનનો વિજય છે.

    તેમણે કહ્યું કે 40-42 ડિગ્રી ગરમી છતાંય આટલા મોટા પ્રમાણમાં મતદાન થવું એ ભારતની લોકશાહીની સિદ્ધિ છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  5. કરોડો નાગરિકોએ ફકીરની ઝોળી ભરી દીધી : નરેન્દ્ર મોદી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલયથી સંબધોન કરતા દેશની જનતાનો આભાર માન્યો હતો.

    નરેન્દ્ર મોદીએ કહ્યું, "કરોડો નાગરિકોએ ફકીરની ઝોળી ભરી દીધી, તે બદલ તેમનો આભાર માનું છું."

    નરેન્દ્ર મોદી

    ઇમેજ સ્રોત, twitter/narendra modi

  6. શુદ્ધ રાષ્ટ્રવાદનો વિજય : અમિત શાહ

    ભાજપ અધ્યક્ષ અમિત શાહે ભાષણમાં કહ્યું કે આ વિજય ટુકડે-ટુકડે ગૅંગની સામે શુદ્ધ રાષ્ટ્રવાદનો વિજય છે.

    તેમણે એવું પણ કહ્યું, "મોદીનો આગામી પાંચ વર્ષનો કાર્યકાળ ભાજપના વિસ્તારનો કાર્યક્રમ હશે. મને વિજયી બનાવવા બદલ ગાંધીનગરની જનતાનો આભાર માનું છું."

  7. 17 રાજ્યમાં કૉંગ્રેસ ખાતું ખોલવામાં નિષ્ફળ : અમિત શાહ

    આભાર દર્શન કાર્યક્રમમાં અમિત શાહે એવું પણ કહ્યું કે ચંડિગઢ,હિમાચલ પ્રદેશ,કર્ણાટક,ઉત્તરાખંડ સહિત દેશનાં 17 રાજ્યોમાં ભાજપને 50ટકાથી વધુ મત મળ્યા છે. દેશનાં 17 રાજ્યમાં કૉંગ્રેસ ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહી હતી.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  8. ભાજપના આભારદર્શન કાર્યક્રમમાં 'મંદિર વહીં બનાયેંગે'ના નારા

    ભાજપના મુખ્યાલય ખાતે આયોજિત આભારદર્શન કાર્યક્રમમાં 'જય શ્રી રામ', 'મંદિર વહીં બનાયેંગે' તથા 'મોદી, મોદી'ના નારા લાગ્યા હતા.

    શાહે કહ્યું કે દેશમાં 50 વર્ષ પછી પૂર્ણ બહુમત સાથે શાસન કરનાર વડા પ્રધાન ફરી એકવખત સરકાર બનાવવા જઈ રહ્યા છે.

  9. રાહુલ ગાંધીએ રાજીનામાની ઑફર કરી?

    રાહુલ ગાંધીએ કૉંગ્રેસની હાર બાદ પત્રકાર પરિષદ કરી હતી, જેમાં તેમણે હારની જવાબદારી સ્વીકારી હતી. જોકે, એ બાદ એવા અહેવાલો પણ આવ્યા હતા કે રાહુલ ગાંધીએ પોતાના રાજીનામાની ઑફર કરી હતી.

    જોકે, આ અહેવાલને નિરાધાર ગણાવતા કૉંગ્રેસના પ્રવક્તા સૂરજેવાલાએ કહ્યું હતું કે રાહુલ ગાંધીના રાજીનામાની વાત ખોટી છે.

    આ મામલે બીબીસી સંવાદદાતા દિવ્યા આર્ય સાથે વાત કરતા મણિશંકર ઐયરે કહ્યું હતું કે કૉંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વ પર શંકા નહીં કરે અને તેમનું રાજીનામું સ્વીકારશે નહીં.

    તેમણે કહ્યું કે કૉંગ્રેસની હાર પાછળ નેતૃત્વ જવાબદાર નથી, તેની પાછળ બીજાં કારણો છે, અમારે તેના પર કામ કરવું પડશે.

    મણિશંકર ઐયર
  10. બીબીસી ગુજરાતીના અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં શું થઈ ચર્ચા?

  11. હવે નરેન્દ્ર મોદી ચોકીદાર નથી રહ્યા

    વડા પ્રધાન મોદીએ લોકસભાની ચૂંટણીનાં પરિણામ આવતાની સાથે જ પોતાના નામ આગળથી ચોકીદાર શબ્દ હઠાવી દીધો છે. ભાજપે લોકસભા ચૂંટણી પહેલાં 'મેં ભી ચોકીદાર' અભિયાન ચલાવ્યું હતું. જે બાદ નરેન્દ્ર મોદી સહિત ભાજપના અન્ય નેતાઓએ પણ પોતાના નામ આગળ ચોકીદાર શબ્દ લગાવ્યો હતો.

    મોદી

    ઇમેજ સ્રોત, Twitter/Naredra Modi

  12. રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારી, મોદી, સ્મૃતિ ઈરાનીને અભિનંદન પાઠવ્યાં

    રાહુલ ગાંધીએ કૉંગ્રેસની હાર બાદ પત્રકાર પરિષદ કરી હતી.

    જેમાં તેમણે મોદીને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે કહ્યું, "અમારા અને ભાજપ તથા મોદી વચ્ચે વિચારધારાની લડાઈ છે. અમારી વિચારધારાઓ જુદી છે."

    "લોકોએ જે ચુકાદો આપ્યો તેને અમે સ્વીકારીએ છીએ. અમારા કાર્યકર્તાઓને કહેવા માગું છું કે તેઓ ગભરાય નહીં"

    "અમેઠી મામલે કહું છું કે સ્મૃતિ ઈરાની જીત્યાં છે અને હું તેમને અભિનંદન આપું છું. હું ઇચ્છું છું કે સ્મૃતિ ઈરાની અમેઠીના લોકોની પ્રેમથી દેખભાળ કરે."

    "મને કોઈ ગાળો પણ આપશે તો પણ હું પ્રેમથી જવાબ આપીશ. હારની તમામ જવાબદારી મારા પર છે."

    રાહુલ ગાંધી

    ઇમેજ સ્રોત, Getty Images

  13. ઇમરાન ખાને મોદીને અભિનંદન પાઠવ્યાં

    પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને નરેન્દ્ર મોદીને જીત બદલ અભિનંદન પાઠવ્યાં છે.

    તેમણે ટ્વીટ કરીને લખ્યું કે હું વડા પ્રધાન મોદીને અભિનંદન પાઠવું છું જેમણે ચૂંટણીમાં જીત મેળવી છે. મોદી સાથે મળીને સાઉથ એશિયામાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે કામ કરવાની આશા છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  14. ભાજપની 6 બેઠકો પર જીત

    ચૂંટણીપંચે અત્યાર સુધી 542 બેઠકોમાંથી સાત બેઠકો પર પરિણામ જાહેર કર્યું છે. જેમાં 6 બેઠકો પર ભાજપનો વિજય થયો છે, જ્યારે એક બેઠક કૉંગ્રેસના ફાળે ગઈ છે.

    આ સિવાય ભાજપ 292 બેઠકો પર આગળ છે અને કૉંગ્રેસ 49 બેઠકો પર આગળ છે.

  15. એનડીએ અને યુપીએની સ્થિતિ

    ગ્રાફિક્સ
  16. મોદીએ સાથી પક્ષોને જીત માટે અભિનંદન પાઠવ્યાં

    મોદીએ ટ્વીટ કરીને આંધ્ર પ્રદેશમાં જીતી રહેલા જગમોહન રેડી અને ઓડિશામાં જીતી રહેલા નવીન પટનાયકને અભિનંદન પાઠવ્યાં છે.

    પટનાયકનો પક્ષ ઓડિશાની 21 લોકસભા બેઠકો પર 14 પર આગળ ચાલી રહ્યો છે, જ્યારે બાકીની બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે.

    આંધ્ર પ્રદેશમાં 25 લોકસભા બેઠકો પર જગમોહનની રેડ્ડીનો પક્ષ 24 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે.

  17. વિદેશમાં પણ ભાજપની જીતનો જશ્ન

    ભાજપની જીતનો જશ્ન માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થઈ રહ્યો છે. આરબ અમિરાત અને ઑસ્ટ્રેલિયામાં ભાજપના સમર્થકોએ ભાજપની જીતનો જશ્ન મનાવ્યો હતો.

    સાઉદી અરેબિયામાં ભાજપની જીતની ખુશી મનાવતા ટેકેદારો

    ઇમેજ સ્રોત, ani

    ઑસ્ટ્રેલિયામાં ભાજપની જીતની ખુશી મનાવતા સમર્થકો

    ઇમેજ સ્રોત, ANI

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  18. મોદી પર અભિનંદનની વર્ષા

    અત્યાર સુધી શું થયું?

    નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ પૂર્ણ બહુમત સુધી એકલા હાથે પહોંચી રહ્યો છે. હાલ ભાજપ 293 બેઠકો પર આગળ છે. કૉંગ્રેસ 51 બેઠકો પર આગળ છે.

    અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે આ કૉંગ્રેસની નકારાત્મક રાજનીતિ અને જૂઠનો પરાજય છે.

    ગુજરાતની તમામ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશો દીવ અને દમણ તથા દાદરા અને નગરહવેલીમાં પણ ભાજપ આગળ છે.

    મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકોમાં ભાજપ 43 બેઠકો પર આગળ છે, જ્યારે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભાજપે પોતાનું પ્રદર્શન જાળવી રાખ્યું છે.

    આંધ્ર પ્રદેશમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં વર્તમાન સત્તા પર રહેલી ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી સત્તા પરથી ફેંકાઈ જાય તેવા અણસારો દેખાઈ રહ્યા છે.

    વિધાનસભાની કુલ 175 બેઠકોમાંથી ટીડીપી માત્ર 26 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે ચંદ્રબાબુ નાયડુના પ્રતિસ્પર્ધી જગમોહન રેડ્ડીની વાયએસઆર કૉંગ્રેસ 148 બેઠકો પર આગળ ચાલી રહી છે.

    અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ, ભુતાનના રાજા, રશિયાના રાષ્ટ્રપતિ, જાપાનના વડા પ્રધાન, ઇઝરાયલના વડા પ્રધાન, ચીનના રાષ્ટ્રપતિએ વડા પ્રધાન મોદીને જીત બદલ અભિનંદન પાઠવ્યાં છે.

    મોદી

    ઇમેજ સ્રોત, Getty Images

  19. પંજાબમાં કૉંગ્રેસમાં મતભેદ શરૂ થયા

    પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદર સિંહે કૉંગ્રેસના જ નેતા નવજોત સિંઘ સિદ્ધુ પર પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર બાજવાને ગળે લગાવવા પર નિશાન સાધ્યું છે.

    તેમણે કહ્યું, "ભારતીયો, ખાસ કરીને સેનાના લોકો પાકિસ્તાની સેના પ્રમુખને ગળે લગાવવાને સાંખી શકતા નથી."

  20. લોકોને ઈવીએમ અંગે શંકા છે : શરદ પવાર

    એનસીપીના શરદ પવારે કહ્યું કે હું લોકોના ચુકાદાને આવકારું છું પરંતુ એ વાત પણ છે કે લોકોને ઈવીએમ અંગે શંકા છે. કૉંગ્રેસે રાજીવ ગાંધીના સમયમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું, ત્યારે કોઈએ ચૂંટણીઓ પર શંકા કરી ન હતી. અટલ બિહારી વાજપેયી ચૂંટણી જિત્યા ત્યારે પણ કોઈએ શંકા કરી ન હતી.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ