ખેડૂત આંદોલનના 100 દિવસ : કિસાનોએ ફરી દિલ્હી ફરતે હાઈવે જામ કર્યાં, લડત માટે મક્કમ

કૃષિકાયદાઓના વિરોધમાં દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને શનિવારે 100 દિવસ પૂરા થયા. તેમણે લડત ચાલુ જ રાખી છે.
આંદોલનને 100 દિવસ પૂર્ણ થતા ખેડૂતો કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વે પર પાંચ કલાકની નાકાબંધી કરીને વિરોધપ્રદર્શન કર્યું અને આ દિવસને ‘કાળો દિવસ’ ગણાવ્યો છે.

ઇમેજ સ્રોત, REUTERS/ADNAN ABIDI
સંયુક્ત કિસાન મોરચાના પ્રવક્તા જગતારસિંહ બાજવાએ જણાવ્યું હતું કે દસના, દુહઈ, બાગપત, દાદરી અને ગ્રૅટર નોઇડામાં ટોલનાકાં ફ્રી કરી દેવાશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ગાઝીપુર સરહદ પર ચાલી રહેલા વિરોધપ્રદર્શન ખાતે પત્રકારોને સંબોધતા ખેડૂતનેતાએ જણાવ્યું કે તેમની લડતી ઘણી આગળ વધી ગઈ છે અને ‘વધારે મજબૂત’ બની છે.

ભાજપના બહિષ્કારનો કોલ

વિરોધપ્રદર્શનને 100 દિવસ થવા છતાં હજુ સુધી ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ ન આવતાં ખેડૂતોએ હવે ભાજપનો બહિષ્કાર કરવાનો કોલ આપ્યો છે.
‘કિસાન એકતા મોરચા’એ ટ્વિટર પર જણાવ્યું છે, “100 દિવસ થઈ ગયા છતાં મોદી સરકાર હજુ પણ ખેડૂતોના ત્રણ કૃષિકાયદા અંગેની માગ સમજવામાં નિષ્ફળ રહી છે. પોતાની લડત વધુ ઉગ્ર બનાવવા ખેડૂતોએ લોકોએ ભાજપનો રાજકીય બહિષ્કાર કરવાની હાકલ કરી છે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે, “અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. જ્યાં સુધી સરકાર અમારી અમારી વાત નહીં સાંભળે અને માગો પૂરી નહીં કરે ત્યાં સુધી અમે હઠીશું નહીં.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
‘સ્વરાજ ઇન્ડિયા’ના યોગેન્દ્ર યાદવે કહ્યું છે, “આ ચળવળે ખેડૂતોને ફરી દેશના રાજકીય પરિદૃશ્ય પર લાવી દીધા છે. તેણે દરેક રાજકારણીને એક પાઠ ભણાવ્યો છે કે ખેડૂતો સાથે ‘પંગો’ન લો.”
તેમણે ઉમેર્યું, “આ લડતે ખેડૂતોને અપૂર્વ રીતે એક કરી દીધા છે. હરિયાણા અને પંજાબના ખેડૂતો એક થઈ ગયા છે. સાંપ્રદાયિક ધ્રુવીકરણના પ્રયાસો છતાં ઉત્તર પ્રદેશમાં હિંદુ અને મુસ્લિમ ખેડૂતો આ લડતમાં એક થઈ ગયા છે. રાજસ્થાનમાં ગુજ્જર અને મીણા એક થઈ ગયા છે.”
નોંધનીય છે કે કૃષિકાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે અત્યાર સુધી 11 બેઠકો યોજાઈ છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ ઉકેલ આવ્યો નથી.
કેન્દ્ર સરકારે કૃષિકાયદાઓઓને 12-18 મહિના સુધી ટાળવા તૈયારી દર્શાવી હતી. જોકે ખેડૂતોએ સરકારનો એ પ્રસ્તાવ ફગાવી દીધો હતો.

આ ત્રણેય કાયદાઓમાં આખરે છે શું?

- કૃષિક ઊપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) કાયદો, 2020
- આ કાયદામાં એક એવી ઇકોસિસ્ટમ બનાવવાની જોગવાઈ છે જ્યાં ખેડૂતો અને વેપારીઓને રાજ્યની APMC (ઍગ્રીકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટી)ની રજિસ્ટર્ડ મંડીઓ બહાર પાક વેચવાની છૂટ હશે.
- આ કાયદામાં ખેડૂતોના પાકને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કોઈ પણ જાતની રોકટોક વગર વેચાણ કરવાની વાતને ઉત્તેજન અપાયું છે.
- બિલમાં માર્કેટિંગ અને ટ્રાસ્પોર્ટેશન પર ખર્ચ કરવાની વાત કરાઈ છે જેથી ખેડૂતોને સારી કિંમત મળી શકે.
- કૃષિક (સશક્તીકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર કાયદો, 2020
- આ કાયદામાં કૃષિકરારો (કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ)નો ઉલ્લેખ કરાયો છે. તેમાં કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ માટે એક રાષ્ટ્રીય ફ્રેમવર્ક બનાવવાની જોગવાઈ કરાઈ છે.
- આ કાયદા અંતર્ગત ખેડૂતો કૃષિ વેપાર કરનાર ફર્મ, પ્રોસેસર્સ, જથ્થાબંધ વેપારી, નિકાસકારો કે મોટા છૂટક વિક્રેતાઓ સાથે કૉન્ટ્રેક્ટ કરીને પહેલાંથી નક્કી કરેલ કિંમત પર ભવિષ્યમાં પોતાના પાકનું વેચાણ કરી શકે છે.
- પાંચ હેક્ટરથી ઓછી જમીનવાળા ખેડૂતો કૉન્ટ્રેક્ટથી લાભ મેળવી શકશે.
- બજારની અનિશ્ચિતતાનો ખતરો ખેડૂતના સ્થાને કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ કરાવનારા આયોજક પર નાખવામાં આવ્યો છે.
- અનુબંધિત ખેડૂતોને ગુણવત્તાવાળાં બીજનો પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવું, ટેકનિકલ સહાયતા અને પાકના સ્વાસ્થ્ય પર નજર, ઋણની સુવિધા અને પાક વીમાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે.
- આ અંતર્ગત ખેડૂતો મધ્યસ્થીને હઠાવીને સારી કિંમત મેળવવા માટે સીધા બજારમાં જઈ શકે છે.
- કોઈ વિવાદની સ્થિતિમાં એક નિશ્ચિત સમયમાં એક તંત્રને સ્થાપિત કરવાની વાત પણ કરાઈ છે.

ઇમેજ સ્રોત, PANKAJ NANGIA/ANADOLU AGENCY VIA GETTY IMAGES
- આવશ્યક વસ્તુ (સંશોધન) કાયદો, 2020
- આ કાયદામાં અનાજ, કઠોળ, ઑઇલસીડ, ખાદ્ય તેલ, ડુંગળી અને બટેટાંને આવશ્યક વસ્તુઓની યાદીમાંથી હઠાવવાનો અર્થ એ થયો કે માત્ર યુદ્ધ જેવી ‘અસાધારણ પરિસ્થિતિઓ’ને બાદ કરતાં હવે મનફાવે એટલો સ્ટૉક રાખી શકાશે.
- આ કાયદાથી ખાનગી સેક્ટરનો કૃષિક્ષેત્રમાં ડર ઓછો થશે કારણ કે અત્યાર સુધી વધુ પડતા કાયદાકીય હસ્તક્ષેપના કારણે ખાનગી રોકાણકારો આ ક્ષેત્રમાં આવતા ગભરાતા હતા.
- કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધશે, કૉલ્ડ સ્ટોરેજ અને ફૂડ સપ્લાઈ ચેઇનનું આધુનિકીકરણ થશે.
- આ કાયદો અમુક વસ્તુના મૂલ્યમાં સ્થિરતા લાવવામાં ખેડૂતો અને ગ્રાહકો બંનેને મદદ કરશે.
- બજારનું વાતાવરણ હરિફાઈવાળું બનશે પાક નુકસાનીમાં ઘટાડો થશે.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












